કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પરિશિષ્ટ - ૧ (ભજન-૧૦ નાં સંદર્ભમાં, નાદબ્રહ્મ પદ-૪૧)
(સંદર્ભ : ભારત સરકારની સાહિત્ય એકેડેમી દ્વારા પ્રકાશિત “કબીર વચનાવલી” પૃ-૩૮૫)
સાંઈ મોર બસત અગમ પુરવાં જહાં ગમન હમાર - ટેક
આઠ કુવા, નવ વાવડી, સોરહ પનિહાર
ભરલ ધયલવા ઢરકિ ગએ રે ધન ઠાડિ મન માર - ૧
છોટ મોટ ડંડિયા ચંદનકે હો છોટ ચાર કહાર
જા ઉતરિ હૈ વાહ દેસવા હો જહાં કોઈ ન હમાર - ૨
ઊંચી મહલિયાં સાહબ કૈ હો લખી બિખમી બજાર
પાપ પુન્ન દોઉ બનિયાં હો હીરા લાલ અપાર - ૩
કહ કબીર સુન સાંઈયા મોર યા હિય દેસ
જો ગયે સો બહુરે ન આયે કો કહેત સંદેસ - ૪
----------
૧. આઠ દિશા
૨. નવ ખંડ સૃષ્ટિ
૩. સોળ પનિહારી : દાસ ઈન્દ્રિયો + પાંચ પ્રાણ + મન
૪. ઠાડિ મન માર એટલે સુનમન ઉદાસ થઈને ઊભી રહેલી
૫. ઠાઠડી
૬. ડાઘુઓ
૭. ઉર્ધ્વ પ્રદેશમાં : કપાળની ઉપર શક્તિના ઉર્ધ્વચક્રો આવેલાં છે.એટલે કે અજ્ઞાચક્રની ઉપરના ભાગે સહસ્ત્રાર, બ્રહ્મ, પારબ્રહ્મ, શૂન્ય, મહાશૂન્ય, દસમદ્વાર ચક્રો આવેલાં છે. તે ચક્રોના મહેલમાં પ્રીતમનો અનુભવ થાય છે.
૮. વસમું બજાર એટલે વિચિત્ર બજાર
૯. જ્ઞાનભક્તિ રૂપી હીરામાણેક
૧૦. સ્વામી - અહીં સંતને ઉદ્દેશીને કહ્યું છે.
૧૧. નિજસ્વરૂપ - જીવે મૂળભૂત રીતે ઈચ્છેલું તે.
Add comment