કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૭૯૬, પૃષ્ઠ-૫૧૦, રાગ-મંગલ
ચલ સદ્ગુરૂકી હાટ જ્ઞાન બુધ લાઈએ
કર સાહબસોં હેત પરમ પદ પાઈએ - ૧
સતગુરૂ સબ કછુ દીન્હ દેન કછુ નહિ રહ્યો
હમહિ અભાગિન નાહિ છોરિ સુખ દુઃખ લહ્યો - ૨
ગઈ પિયા કે મહલ હિયા અંગ ના રચિ
રહ્યો કપટ હિય છાય માન લજ્જા ભરી - ૩
જહાં૧ ગેલ સિલહિલી ચઢૌં ગિરિ ગિરિ પરૌં
ઉઠૌં સમ્હારિ સમ્હારિ ચરણ આગે ધરૌં - ૪
પિયા૨ મિલનકી ચાહ કૌન તેરે લાજ હૈ
અરધ મિલો કિન જાય ભલા દિન આજ હૈ - ૫
ભલા બના સંજોગ પ્રેમકા ચોલના
તન મન અરપૌં સીસ સાહબ હંસ બોલના - ૬
જો૩ ગુરૂ રૂઠે હોય તો તુરત મનાઈએ
હુઈયે દીન અધીન ચૂકિ બકસાઈએ - ૭
જો૪ ગુરૂ હોય દયાલ દયા દિલ હેરિ હૈ
કોટિ કરમ કટિ જાય પલક છિન ફેરિ હૈ - ૮
કહ કબીર સમુઝાય સમુઝ હિરદૈ ધરો
જુગન જુગન કર રાજ કુમતિ અસ પરિહરો - ૯
સમજૂતી
હે સખી ચાલ સદ્ગુરૂના શરણમાં જઈએ ને જ્ઞાનનો બોધ પામીએ ! પરમાત્માની સાથે પ્રેમ કરીને પરમ પદની પ્રાપ્તિ કરીએ. – ૧
જો કે સદ્ગુરૂએ તો આપવાનું બધું જ આપી દીધેલું, હવે બાકી તો કાંઈ રહ્યું જ નથી ! આપણે દુર્ભાગી નારી કહેવાઈએ કારણ કે આપણે સુખ છોડીને દુઃખને જ ગ્રહણ કર્યું છે. – ૨
આપણે પ્રિયતમના મહેલમાં તો ગયા પણ અંગો તો શણગાર્યા જ નહોતાં ! હૈયામાં તો કપટ ને અભિમાન જ છવાયેલાંહતાં ! સાચે જ એ તો શરમજનક કહેવાય ! - ૩
ત્યાં જવાનો રસ્તો પણ કેવો ભીનો ભીનો ને ચીકણો ! જેમ તેમ ચાલીએ ને પડી જ જવાય ! હવે તો ખૂબ કાળજીપૂર્વક પગલાં ભરવાં પડશે ને આગળ ચાલવું પડશે ! - ૪
પ્રિયતમને મળવાની જ ઈચ્છા હોય તો પછી તને લાજ શરમ શેની ? આમ અરધે રસ્તે મળવાનું મૂકીને કોણ જાય ? આજનો દિવસ તો ખરેખર મંગલ ગણાય ! - ૫
પ્રેમપૂર્વક ભક્તિ કરવા માટે સંજોગ પણ ઘણો સારો મળેલો ગણાય. સાહેબને ખુશ કરવા માટે હું તો તન, મન ને શીશ પણ આપી દઉં ! - ૬
જો ગુરૂ રૂઠેલા હોય તો તેમને તરત મનાવી લેવા જોઈએ અને તે માટે ભૂલચૂકની ક્ષમા માંગી નમ્રતાપૂર્વક તેમના શરણમાં જ રહેવું જોઈએ. – ૭
દયાળુ ગુરૂ જો દિલથી આપણી તરફ નજર કરશે તો ક્ષણમાત્રમાં કરોડો કર્મ બંધનો તૂટી જશે અને આપણામાં પરિવર્તન પણ સત્વરે આવી જશે. – ૮
તેથી કબીર સમજાવીને કહે તે બધું સમાજપૂર્વક હૃદયમાં ધારણ કરો અને કુબુદ્ધિને એવી રીતે છોડી દો કે જુગ જુગ સુધીનું પરમ સુખનું રાજ્ય પ્રાપ્ત કરી શકાય. – ૯
----------
૧સ્વામી શ્રી હનુમાનદાસ કૃત ‘શબ્દામૃત સિંધુ’ ના પૃષ્ઠ-૩૧૯ પર આ કડીને બદલે બીજી કડી આ પ્રમાણે છે :
ચલોરિ સુહાગિન નારિ મહલકી ગમ કરો
ખોલો કપટ કિંવાર, પિયા સો મિલ રહો.
અર્થાત્ હૈ સૌભાગ્યતી સ્ત્રી, ચાલ ! પ્રિયતમના મહેલ તરફ ગતિ કર ! કપટના દરવાજા ખોલી દે અને પ્રિતમની સાથે મળી લે !
૨‘શબ્દામૃત સિંધુ’ માં આ કડી જ નથી.
૩આવા જ પ્રકારનો ભાવ ગુરૂગીતામાં પણ વ્યક્ત થયો છે. તે ભાવનું અનુકરણ કરતી સાહેબની સાખી આ પ્રમાણે છે :
કબીરા હરિ કે રૂઠતે ગુરૂકે સરના જાય
ગુરૂકે રૂઠતે મિલતી હરિકી નહીં સહાય
૪અહીં પણ ગુરૂગીતાનો શ્લોક યાદ આવશે :
અનેક જન્મ સંપ્રાપ્ત સર્વ કર્મ વિદાહિને |
સ્વાત્મ જ્ઞાન પ્રભાવેણ તસ્મૈ શ્રી ગુરવે મન: ||
Add comment