કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન ૧સાયા મનસા લહરિ, બૂડે બહે અનેક
કહ કબીર તે ૨બાંચિ હૈ, જાકે હૃદય વિવેક
૧=સાગર ૨=બચ્યા
કબીર કહે છે મન રૂપી મહાસાગરની તૃષ્ણા રૂપી લહરિમાં અનેક જીવો વહીને બૂડી ગયા છે માત્ર તે જ બચી જવા પામ્યા છે કે જેના હૃદયમાં સારાસારનો વિવેક જાગ્યો છે.
Add comment