કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભક્તિ ભેષ બહુ અંતરા, જૈસે ધરનિ અકાસ
ભક્ત લીન ગુરૂ ચરનમેં, ભેષ જગત કી આસ
નિષ્કામ ભક્તિ ને વેશધારી ભક્તિ વચ્ચે ધરતી ને આકાશ જેટલો તફાવત છે. નિષ્કામ ભક્તનું મન તો કાયમ ગુરૂ (પરમાત્મા)ના ચરણોમાં લીન હોય છે, પણ માત્ર વેશ બદલીને ભક્તિ કરવાવાળાનું મન તો જગતની આશામાં જ ડૂબેલું હોય છે.
Add comment