કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હો દારિકે લે દેઉં તોહિ ગારી, તૈં સમુજિ સુપંથ બિચારી - ૧
ઘરહુ કે નાહ જો અપના, તિનહું સે ભેટ ન સપના - ૨
બ્રાહ્મન છત્રી બાની, તિનહું કહલ નહિ માની - ૩
જોગી જંગમ જેતે, આપુ ગાહ હૈં તેતે - ૪
કહંહિ કબીર એક જોગી, તે ભરમિ ભરમિ ભૌ ભોગી - ૫
સમજૂતી
હે માયાના ગુલામ જીવ, હું તને ગાળો આપું છું ! તું જરા સમજીને સારા પંથે જવાનો વિચાર તો કર ! - ૧
તારા હૃદયરૂપી ઘરમાં આત્મારૂપી સ્વામી રહેલો છે તેને મળવાનો તેં સ્વપ્નમાં પણ કદી વિચાર કર્યો નથી ! - ૨
બ્રાહ્મણ, ક્ષત્રીય ને વૈશ્ય લોકોએ પણ મારી વાણી માની નથી ! - ૩
જોગી, જંગમ વિગેરે સાધુ લોકો પણ પોતાના અહંકારમાં મારી વાત ગ્રહણ કરતા નથી. - ૪
કબીર કહે છે કે પોતાને યોગી માનતા લોકો વિષયોના એટલા બધા ભોગી બાની ગયા છે કે તેઓ જન્મોજન્મથી ભટક્યા જ કરે છે ! - ૫