કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબિરા સીપ સમુદ્ર કી, રહૈ પિયાસ પિયાસ
ઔર બુંદકો ના ગદૈ, સ્વાતિ બુંદકી આસ
કબીર કહે છે કે સમુદ્રની છીપલી ગમે તે થઈ જાય પણ તરસી ને તરસી જ રહે છે. એને તો સ્વાતિ નક્ષત્રના મેઘનું જ બિંદુ જોઇએ, બીજું જલબિંદુ એને ખપતું નથી.
નોંધ : સમુદ્રનાં છીપની જેમ મન માત્ર પ્રભુની જ ઝંખના કરતું થઈ જાય તો સાચી ભક્તિ પ્રગટે. દુનિયાની કોઈ વસ્તુ તરફ મનને આકર્ષણ રહે ત્યાં સુધી પ્રભુની ભક્તિ બરાબર થઈ શકતી નથી.
Add comment