કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હંસા પ્યારે સરવર તજિ કહાં જાય ?
જેહિ સરવર મોતિયા ચુગતે, બહુ વિધિ કેલિ કરાય - ૧
સુખે તાલ પુરઈન જલ છાંડે, કમલ ગયે દુમ્હિલાય
કહંહિ કબીર અબહી કે બિછુરે, બહુરિ મિલહુ કબ આય - ૨
સમજૂતી
હે વિવેકી જીવ, તું (શરીર રૂપી) સરોવર છોડી ક્યાં જઈ રહ્યો છે ? જેમાં તે (વિષયો રૂપી) મોતીઓ ચૂગ્યા અને ઘણા સમય સુધી આનંદ પ્રમોદ કર્યો તેને છોડી તું ક્યાં જશે ? - ૧
(શરીર રૂપી) તળાવ તો સુકાઈ ગયું છે અને નયન રૂપી કમળ આંસુ રૂપી જલ વહાવી રહ્યું છે. હૃદય રૂપી કમળ તો કરમાઈ ગયું છે તેથી કબીર કહે છે કે આ વખતે છોડીને તું જઈ રહ્યો છે પણ ફરીવાર આ માનવ શરીર ક્યારે મળશે ? (જરા વિચારી તો જો ! ) - ૨
 
																										
				
Add comment