કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કો ન મુવા કહો પંડિતજના, સમુજાય કહૌ મોહિસના - ૧
મૂયે બ્રહ્મા બિસ્નું મહેસા, પારવતી સુત મુયે ગનેસા - ૨
મૂયે ચંદ મૂયે રવિ સેસા, મૂયે હનુમત જિનિ બાંધલ સેતા - ૩
મૂયે ક્રિસ્ન મૂયે કરતારા, એક ન મુવા જો સિરજનિહારા - ૪
કહંહિ કબીર મુવા નહિ સોઈ, જાકે આવા ગમન ન હોઈ - ૫
સમજૂતી
હે પંડિતો, આ જગતમાં કોણ નથી મર્યું તે મને સમજાવીને કહો ! - ૧
બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ મરણને આધીન થયા ને પાર્વતીનો પુત્ર ગણેશ પણ મર્યો ! - ૨
સૂર્ય, ચંદ્ર ને શેષનાગ પણ મર્યા ને સેતુ બાંધનાર હનુમાન પણ મર્યા ! - ૩
કૃષ્ણ જેવા મહાપુરુષ પણ મર્યા ને કતૃત્વના અભિમાની જીવો પણ મર્યા. એક માત્ર ન્ મર્યા સર્જન કરનારા પરમાત્મા ! - ૪
એટલું જ નહીં પણ કબીર કહે છે કે આવાગમનથી મુક્ત થનાર પણ મરતા નથી. - ૫
 
																										
				
Add comment