કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બુઝ બુઝ પંડિત પદ નિરવાન, સાંજ પરે કહવાં બસ ભાન ? - ૧
ઉંચ, નીચ, પરખત ઠેલા ન ઈટ, બિનુ ગાયન તહંવા ઉઠે ગીત - ૨
ઓસ ન પ્યાસ મંદિલ નહીં જહંવા, સહસો ધેનુ દુહાવહિંગ તહંવા - ૩
નિતૈ અમાવાસ નિત સંક્રાન્તિ, નિતિ નિતિ નવગ્રહ બૈઠેપાંતિ - ૪
મૈં તોહિ પૂછૌં પંડિત જના, હૃદયા ગ્રહન લાગુ કેહિ ખના ? - ૫
કહંહિ કબીર એતનૌ નહિ જાન, કવન સબદ ગુરુ લાગલ કાન - ૬
સમજૂતી
હે પંડિત, (મોક્ષનું) નિર્વાણ સ્થાન જરૂર સમજો. સંધ્યાટાણે સૂર્યાસ્ત થયા પછી સૂર્ય ક્યાં વાસ કરે છે ? - ૧
ત્યાં ઉંચું કે નીચું, પર્વત કે ખીણ કાંઈ જ નથી. ત્યાં તો ગાયા વિના ગીત ચાલ્યા કરતું હોય છે ! - ૨
જ્યાં ઝાકળના જેવી ક્ષણિક વિષય વાસના નથી અને મંદિર પણ નથી; ત્યાં હજારો ગાય દોહવામાં આવે છે. - ૩
ત્યાં હમેશ અમાસ હોય છે અને હમેશ સંક્રાન્તિ હોય છે. ત્યાં નવે નવ ગ્રહ એક જ પંક્તિમાં બેસે છે. - ૪
હે પંડિત, હું તમને પૂછું છું કે હૃદયના કયા ભાગમાં તમને ગ્રહણ લાગ્યું છે ? - ૫
કબીર કહે છે કે તમે એટલું પણ નથી જાણતા કે મોક્ષ શું છે ? તમને કયા ગુરુએ કાનમાં મંત્ર દીક્ષા આપેલી ? - ૬
ટિપ્પણી
“હૃદયા ગ્રહન લાગુ કેહિ ખના” - એટલે ખૂણો, એક ભાગ. હૃદયને ગ્રહણ લાગવું એટલે સ્વરૂપને ન ઓળખવું - આત્માભિમુખ બનવાને બદલે વિષયાભિમુખ રહેવું - વિદ્વાન બ્રાહ્મણોને મોક્ષપદનું ભાન નથી તેથી મોક્ષની પ્રાપ્તિના બહાના હેઠળ તેઓ છૂતા છૂતની અને ધર્મના ભેદોની ભાવનાને બહેકાવતા ફરતા હોય છે. તેઓની આ પ્રવૃત્તિ આત્મ કલ્યાણ માટે પ્રતિકૂળ ગણાય.
 
																										
				
Add comment