Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જાગ્રત રૂપી જીવ હૈ, શબ્દ સોહાગા સેત
જરદ બુન્દ જલ ફૂકુહી, કહહિં કબીર કોઈ દેખ

૧=સફેદ, ૨=વરસાદના, ૩=પરપોટા

જીવ તો પ્રકાશ સ્વરૂપ (જાગ્રત રૂપી) છે. પરંતુ અવિદ્યા રૂપી મૂઢ અવસ્થામાં તેનાં પર મળના થરો જામી જાય છે. તે મલિનતા ગુરુના ઉપદેશથી દૂર થઇ જાય છે ને જીવનું અસલ સ્વરૂપ (સેત)નો પરિચય થાય છે. જે રીતે વરસાદનું પાણી વરસે ત્યારે તળાવના પાણીમાં પરપોટા પેદા થાય છે. ને તે પરપોટા તળાવના પાણીથી જુદા જ લાગે છે. હકીકતે તે પણ પાણી જ હોવાથી જુદા નથી. તે રીતે ગુરુના શરણાગતને જીવના શુદ્ધ સ્વરૂપનો પરિચય થઈ જાય છે. પરંતુ કબીર સાહેબ તો કહે છે કે એવા શિષ્ય તો વિરલ જ હોય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,304
pdf-2અનંત સૂર | Anant Soor 8,890
pdf-3Amar Varso | અમર વારસો 7,249
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492